પાટીદાર આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાનો હાર્દિક પટેલને પત્ર,જાણો શું રજૂઆત કરાઇ..?
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પાટીદાર આંદોલન સમિતિ ના આગેવાન દિનેશ બાંભણીયાએ પત્ર લખ્યો છે.
BY Connect Gujarat27 April 2022 10:16 AM GMT
X
Connect Gujarat27 April 2022 10:16 AM GMT
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પાટીદાર આંદોલન સમિતિ ના આગેવાન દિનેશ બાંભણીયાએ પત્ર લખ્યો છે. આ પત્રમાં પાસ નેતા દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલને મહત્વપૂર્ણ બાબત સમજાવી જેમાં તેમણે કહ્યું કે મેં અગાઉ 2017 માં હાર્દિક રાજકીય પક્ષ સાથે જોડાવાની ના પાડી હતી .
સાથે જ વધુમાં હાર્દિકને સલાહ આપતા કહ્યું કે કોઈ પણ પક્ષમાં કામ કર્યા વગર સ્વતંત્ર રીતે ગુજરાતના પ્રશ્નોને વાચા આપે અને પીડિતોને મદદરૂપ બને.બીજી બાજુ ભારતના રાજકારણમાં હાર્દિક જેવા લડાયક યુવાનની જરૂર છે. તેમજ ગુજરાતની રાજનીતિ માં આવવાને બદલે ઉભા થતા પ્રશ્નો ઉકેલ લાવવાના પ્રયાસો કરે તેમ પાસ નેતા દિનેશ બાંભણીયાએ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને પત્ર લખી પોતાની વાત કહી હતી.
Next Story