સાબરકાંઠા : પૈસાની લેતીદેતીમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરનાર 3 શખ્સો પોલીસના હાથે ઝડપાયા...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • શ્રમિક પરિવારની બાળકીના અપહરણનો મામલો

  • હિંમતનગરમાં સાબર ડેરી નજીકથી થયું અપહરણ

  • રૂપિયા 3 લાખમાં બાળકીને વેચી દેવામાં આવી હતી

  • પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

  • પૈસાની લેવડ દેવડમાં અપહરણ કરાયું હતું : પોલીસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કરી રૂ. 3 લાખમાં વેચી દેવાના મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છેજ્યાં હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝુપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતાઅને તેની ઉઘરાણી અર્થે મારામારી થઈ હતી. ત્યારબાદ 2 શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. જોકે60 હજાર રૂપિયાની લેતીદેતી મામલે લગભગ 3થી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકેબાળકીને ઉઠાવી ગયા બાદ અન્ય રાજ્યમાં તેને 3 લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.