સાબરકાંઠા : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર...

સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

New Update
  • મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાના પાકનું મબલખ વાવેતર કર્યું

  • પ્રાંતિજહિંમતનગરઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર

  • ગત વર્ષે પાકમાં રોગવાતાવરણમાં બદલાવના કારણે નુકશાન

  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભાવ મળવાની આશા

  • સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી ખેડૂતોની પ્રાર્થના

સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતોએ આ વર્ષે બટાકાનું વાવેતર મોડું કર્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વાવેતર શરૂ કર્યુ છે. પરંતુ કુદરત ન રૂઠે તેવી ખેડૂતો પ્રાર્થના પણ કરી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજતલોદહિંમતનગર અને ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો થશે. ગત વર્ષે પાકમાં વિવિધ પ્રકારના રોગવાતાવરણમાં વારંવાર બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતુઅને બટાકા મફતના ભાવે વેચ્યા હતા. પરંતુ આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ વાવેતર તો શરૂ કર્યુ છે. પરંતુ જો ફરી કુદરત રૂઠે તો ખેડૂતોને નુકશાન થાય તેવી ચિંતા પણ સતાવી રહી છે. બટાકાના પાક પાછળ દવાબિયારણખાતરટ્રેક્ટરના ખર્ચ સાથે કુલ એક વીઘામાં 60થો 65 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે. સામે ખેડૂતોના બટાકામાં ગત વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે વિવિધ રીતે નુકશાન જોવા મળ્યું હતું. જેમાં સુકારાનો રોગ આવતા બટાકાની 50થી 70 ટકા ખેતીને નુકશાન થયું હતુંત્યારે આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મોડુ મોડું પણ વાવેતર કર્યુ છેઅને સારા ભાવે પાક વેચાય તેવી આશા રાખી છે.

 

Read the Next Article

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

New Update
  • ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર

  • ડેમમાં 53 ટકાથી વધુનો પાણી ઉપલબ્ધ

  • 207 જળાશયોમાં 44 ટકાથી વધુ જળ સંગ્રહ

  • રાજ્યમાં પાણીની અછત નહી સર્જાય તેવો દાવો

  • નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે 

ગુજરાતમાં ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હોવાના કારણે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળસંગ્રહ નોંધાયો છેજ્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે.

ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.04 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કેતારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81  ટકા જળ સંગ્રહ હતો. તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહદક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકાસૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી  બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે.