સાબરકાંઠા : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોએ કર્યું બટાકાના પાકનું મબલખ વાવેતર...

સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

New Update
  • મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાના પાકનું મબલખ વાવેતર કર્યું

  • પ્રાંતિજહિંમતનગરઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર

  • ગત વર્ષે પાકમાં રોગવાતાવરણમાં બદલાવના કારણે નુકશાન

  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ભાવ મળવાની આશા

  • સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી ખેડૂતોની પ્રાર્થના

Advertisment

સાબરકાંઠા જીલ્લામાં મોડે મોડે પણ ખેડૂતોએ બટાકાનું મબલખ વાવેતર કરી સારો ભાવ મળી રહે અને કુદરત ન રૂઠે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતોએ આ વર્ષે બટાકાનું વાવેતર મોડું કર્યું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બટાકાના પાકના વધુ ભાવ મળવાની આશાએ ખેડૂતોએ વાવેતર શરૂ કર્યુ છે. પરંતુ કુદરત ન રૂઠે તેવી ખેડૂતો પ્રાર્થના પણ કરી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રાંતિજતલોદહિંમતનગર અને ઈડર સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરમાં વધારો થશે. ગત વર્ષે પાકમાં વિવિધ પ્રકારના રોગવાતાવરણમાં વારંવાર બદલાવના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતુઅને બટાકા મફતના ભાવે વેચ્યા હતા. પરંતુ આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ વાવેતર તો શરૂ કર્યુ છે. પરંતુ જો ફરી કુદરત રૂઠે તો ખેડૂતોને નુકશાન થાય તેવી ચિંતા પણ સતાવી રહી છે. બટાકાના પાક પાછળ દવાબિયારણખાતરટ્રેક્ટરના ખર્ચ સાથે કુલ એક વીઘામાં 60થો 65 હજાર જેટલો ખર્ચ વાવેતર પાછળ થાય છે. સામે ખેડૂતોના બટાકામાં ગત વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે વિવિધ રીતે નુકશાન જોવા મળ્યું હતું. જેમાં સુકારાનો રોગ આવતા બટાકાની 50થી 70 ટકા ખેતીને નુકશાન થયું હતુંત્યારે આ વર્ષે સારા ઉત્પાદનની આશાએ ખેડૂતોએ મોડુ મોડું પણ વાવેતર કર્યુ છેઅને સારા ભાવે પાક વેચાય તેવી આશા રાખી છે.

 

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment