જુનાગઢ : કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો

New Update
વરસાદ

 

Advertisment

કેશોદ તાલુકામાં આગોતરી મગફળીના વાવેતરમાં ઘટાડો

પાણીની ખેંચના કારણે વાવેતરમાં ચાર ગણો ઘટાડો

20 જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતોને આશા

હાલના વર્ષે માત્ર 1265 હેકટરમાં મગફળીનું વાવેતર

છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વાવેતરમાં 4 ગણો ઘટાડો

Advertisment

કેશોદ તાલુકામાં ગત વર્ષે અડધા ચોમાસામાં વરસાદ ન થતા પાણીની ખેંચના કારણે હાલના વર્ષે  છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આગોતરી મગફળીના વાવેતરમાં ચાર ગણો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો બે વર્ષ પહેલાં પંદર જુનથી વરસાદ શરૂ થયો હતો. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું.છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચોમાસાના પ્રારંભ પહેલા મેઘરાજાનું આગમન થતુ આવ્યુ છે. પંદર  જુન પહેલા વરસાદ થયો હતો, જ્યારે હાલના વર્ષે પંદર જુન બાદ પણ મેઘરાજાનું આગમન થયુ નથી. ગત વર્ષે બાર જુનથી મેઘરાજાનું આગમન થયું હતું. હાલના વર્ષે મેઘરાજાના આગમનના કાંઈ એંધાણ જોવા નહીં મળતા ત્યારે આગાહીકારોની આગાહી મુજબ વીસ જુન પહેલા વરસાદ થાય તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

છેલ્લા ત્રણ વર્ષથી આગોતરી મગફળીના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. ગત ત્રીજા વર્ષે 4680 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું. બે વર્ષ પહેલા 5500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હતું ગત વર્ષે 8500 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ છે,જ્યારે હાલના વર્ષે માત્ર 1265 હેકટરમાં આગોતરી મગફળીનું વાવેતર થયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.

 

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment