સાબરકાંઠા : ઉનાળાની શરૂઆત પહેલાં ખેડૂતોની ચિંતામાં વધારો, સિંચાઈ વિભાગ પાસે પાણી માટે કર્યો પોકાર

સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.

New Update
  • ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની પોકાર

  • જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવા માંગ

  • ખેડૂતોએ ઉનાળુ પાકની કરી છે તૈયારી

  • સિંચાઈ માટે પાણી નહીં મળે તો નુકસાનીની ભીતિ

  • રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગને ખેડૂતોએ કરી રજુઆત

Advertisment

સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.

સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા પાંચ જળાશયોમાંથી રવિ સીઝનને લઈને પિયત માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ જળાશયોમાંથી હવે આ છેલ્લુ પાણી અપાઈ રહ્યું છે.ત્યારે ઉનાળુ વાવેતરમાં પાણી નહી મળે તો ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.તેથી ખેડૂતોએ વધારે પાણીની માંગ અધિકારીઓ પાસેથી અને સરકાર પાસેથી કરી છે.

સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સીઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી. દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત થઈ હતી અને માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના 235 ગામોમાં ત્રણ જળાશયો મળીને 15 ક્યુસેક પાણી અને બે જળાશયોમાંથી છ-છ ક્યુસેક આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનથી આમ કુલ 21,850  હેક્ટરમાં ખેતીને લાભ થયો છે. છ તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરમાં પહોંચ્યું હતું.પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લુ પાણી આપી રહી છે.ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને રાજ્ય સરકાર પાસે ઉનાળુ પાકના સારા વાવતેર માટે પાણીનો પોકાર કરી રહ્યા છે.

સાબરકાંઠાના ખેડૂતો ઉનાળુ પાકની તૈયારીઓ કરી લીધી છે. કેટલાક ખેડૂતોએ વાવેતર પણ શરૂ કર્યુ છે,ત્યારે જો પાણી નહિ મળે તો ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.સાબરકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન વરસાદને લઈને જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો હાથમતીમાં  41.38 ટકા એટલે 63.5525 મિલિયન ક્યુબિક મીટર,ધરોઈમાં  60.22 ટકા એટલે કે 489.65 MCM, ગુહાઈમાં 31.34 ટકા એટલે 21.55 MCM, ખેડવામાં 38.23 ટકા એટલે કે 2.917 MCM અને હરણાવ ડેમમાં 64.74 ટકા એટલે કે 14.03 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.તેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા માર્ચમાં છેલ્લુ પાણી અપાઈ રહ્યું છે.ત્યારે હવે ઉનાળુ વાવેતર મગફળીમકાઈબાજરીઘાસચારો સહિત શાકભાજીના પાકોને પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં કુવાના તળ પણ નીચા ગયા છે તેથી ત્યાં સિંચાઈના પાણીની માંગ વધી રહી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment