સાબરકાંઠા : અવિરત વરસી રહેલા વરસાદે શાકભાજીના પાકનો વાળ્યો સોથ,ઉત્પાદનમાં ઘટાડો ભાવમાં નોંધાયો વધારો

સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને  નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે.

New Update
  • સાબરકાંઠામાં અનરાધાર વરસાદ

  • વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી

  • શાકભાજીના ઉત્પાદન પર પડી અસર

  • ઓછા ઉત્પાદનથી ભાવમાં થયો વધારો

  • વેલાવાળા શાકભાજીના પાકને નુકસાન 

સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને  નુકસાન પહોંચાડ્યું છે.જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું.જો કે વરસાદે પાકનો સોથ વાળી દીધો છે.જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદે ખેતીના પાકમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે,જેમાં ખાસ કરીને શાકભાજીના પાકને અસર પહોંચતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતો દ્વારા મોઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનુ વાવેતર કરવામાં આવ્યું હતું.પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખરી પડ્યા હતા. જેના પરિણામે સારી આવકની આશાએ વાવેલા પાકનું પૂરતું ઉત્પાદન મળ્યું નથી.

ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયાગલકાદુધીકાકડીટામેટાગીલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે.સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે.

સાબરકાંઠામાં વરસાદને કારણે આ વખતે ઉત્પાદન ઘટી ગયુ છે.જેના થકી ભાવ આસમાને પહોંચ્યા છે,પંરતુ ખેડુતની સ્થિતિ તો જૈસે થે જેવી જ છે,કારણ કે મજૂરી ખર્ચદવા બિયારણ વાવેતર ખર્ચલાવવા લઈ જવાનો ખર્ચ તો એ જ છે.જેને લઈ ભાવ વધુ મળે છે પરંતુ ઉત્પાદન ઓછુ અને નુકસાન વધુ છે.અને સરવાળે તો ખેડુતને નુકસાન જ થાય છે. આમ તો પહેલા જે શાકભાજી 20 રૂપિયાથી લઈ 70 રૂપિયા કિલો મળતી હતી તે હાલમાં 100 થી 180 પર પહોચી ગઈ છે.છેલ્લા 20 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.20 દિવસથી વરસાદી માહોલને લઈને આ ભાવ આસમાને પહોંચ્યા છે.

Read the Next Article

ભરૂચ : આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પરથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે

New Update
guj

ભરૂચ આમોદના મલ્લા તળાવ નજીક દાંડી માર્ગ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી આમોદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. જો કોઈ વ્યક્તિને આ મૃતદેહ વિશે માહિતી હોય અથવા ઓળખ કરી શકે, તો તેમણે તાત્કાલિક આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.આમોદ પોલીસે જણાવ્યું કે મૃતકના સગા–સંબંધીઓ સુધી માહિતી ઝડપથી પહોંચે તે માટે લોક સહકાર જરૂરી છે.