સાબરકાંઠા : સુરજપુરકંપાના પ્રગતિશીલ ખેડૂતે કરી શેરડીની પ્રાકૃતિક ખેતી, આરોગ્યવર્ધક ગોળ બનાવી મેળવી આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.

New Update
  • હિંમતનગરના સુરજપુરકંપા ગામના પ્રગતિશીલ ખેડૂત

  • ધરતીપુત્ર છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી

  • ખેડૂતે 2 વીઘા જમીનમાં કર્યું છે શેરડીના પાકનું વાવેતર

  • પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી શેરડીમાંથી બનાવે છે ગોળ

  • આરોગ્યવર્ધક ગોળનું વેંચાણ કરી મેળવી રહ્યા છે આવક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છેઅને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે.

ખેડૂતો હવે ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરતા નથીપરંતુ ઓર્ગેનિક ખેત પેદાશનું વેચાણ કરી બિઝનેસ પણ કરી રહ્યા છે. એટલું નહીંપ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન પણ કરે છેઅને બમણી આવક ઉભી કરી રહ્યા છેત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત અમૃત પટેલ છેલ્લા 15 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીના ઉત્પાદન બાદ તેનું મૂલ્યવર્ધન કરી દેશી ગોળનું ઉત્પાદન કરીને કમાણી કરી રહ્યા છે. ખેડૂત 4 હજાર કિલો ગોળ બનાવી તેનું વેચાણ પણ કરે છે. તેઓએ અભ્યાસ બાદ બાપદાદાના વ્યવસાયને અપનાવી ખેતીની શરૂઆત કરી હતી. ખેડૂતે જણાવ્યુ હતું કેતેમના બન્ને પુત્રો તેમની 15 વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં શેરડીની ખેતી એક વાર વાવ્યા પછી 5થી 7 વર્ષ સુધી એ જ શેરડીની કાપણી કરી શકાય છે. એટલું જ નહીંતેઓ ડ્રિપ ઇરીગેશન કરી રહ્યા છેજેથી પાણીની બચત થાય છે.

Read the Next Article

બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

New Update
  • પાલનપુરમાં પોલીસકર્મીનો આપઘાત

  • અંતિમ ચિઠ્ઠી લખીને કર્યો આપઘાત

  • ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી 

  • પોલીસ અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

  • ગુજરાત પોલીસ બેડામાં ચકચાર

  • પરિવારજનોએ કરી યોગ્ય ન્યાયની માંગણી

બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,જોકે તેઓએ અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યુ કેવિંદલરાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે,અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો હતો.અને ત્યાર બાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા ASP સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ  વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છેવિંદલરાજ ચૌહાણ સામે પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો હતો,અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.હાલમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.