સાબરકાંઠા : પ્રાંતિજમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત સામાજિક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરતા વાહનોની લાગી કતાર,પોલીસે કર્યો હસ્તક્ષેપ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.

New Update
  • પ્રાંતિજમાં ખખડધજ રસ્તાથી લોકોમાં આક્રોશ

  • સામાજિક કાર્ય કરે રસ્તો કર્યો બ્લોક

  • વાહનોની લાગી લાંબી કતાર

  • તંત્રને રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં

  • પોલીસે હસ્તક્ષેપ કરીને વાહન વ્યવહાર શરૂ કરાવ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે પ્રાંતિજ શહેરના મધ્યમાંથી પસાર થાય છે. જોકે પ્રાંતિજ તાલુકાની તમામ કચેરીઓ જેવી કે તાલુકા પંચાયતમામલતદાર કચેરીકોર્ટ,રેલવે સ્ટેશન સહિત અંદાજિત 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ પણ આ માર્ગે અડીને આવેલી છે. અને આ રોડ ઉપર દિવસ દરમિયાન સ્થાનિક લોકોની મુખ્યત્વે અવરજવર રહેતી હોય છે,પરંતુ આ સ્ટેટ હાઇવે છેલ્લા લાંબા સમયથી બિસ્માર બન્યો છે. જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ કામગીરીમાં કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખરાબ રસ્તાના ત્રાસથી ત્રસ્ત સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા માર્ગ બ્લોક કરીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો,જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.જોકે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. 

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.