સાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.

New Update
  • દેશી દારૂના વેપલા પર તવાઈ, નાનું તળાવ બનાવીને ચાલતો હતો કારોબાર 

  • સ્ટેટ મોનીટરીંગ સેલે પડ્યા દરોડા

  • 1172 લીટર દારૂ ઝડપ્યો, 23 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

  • બે શખ્સોની ધરપકડ, દારૂ બનાવવાનું મટીરીયલ પણ જપ્ત 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે,આ સમગ્ર ઘટનામાં 21 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે,જયારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મોટા પાયે દેશી દારૂનો વેપલો ધમધમતો હતો,જે અંગેની ચોક્કસ માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 1,172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે,SMCની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યો છે.સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે,બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ બનાવતા હતા,તે દિશામાં પોલીસે તપાસ કરી છે.તો દારૂ બનાવવા માટે જે મટીરીયલ ઉપયોગમાં લેવાતું હતું તે પણ FSLમાં મોકલી આપ્યું છે.પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનામાં 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહીં અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા,તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગામમાં એક નાનું તળાવ બનાવીને દેશી દારૂ તેમાં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે,અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.