સાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.

New Update
  • દેશી દારૂના વેપલા પર તવાઈ, નાનું તળાવ બનાવીને ચાલતો હતો કારોબાર 

  • સ્ટેટ મોનીટરીંગ સેલે પડ્યા દરોડા

  • 1172 લીટર દારૂ ઝડપ્યો, 23 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

  • બે શખ્સોની ધરપકડ, દારૂ બનાવવાનું મટીરીયલ પણ જપ્ત 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે,આ સમગ્ર ઘટનામાં 21 શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા છે,જયારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મોટા પાયે દેશી દારૂનો વેપલો ધમધમતો હતો,જે અંગેની ચોક્કસ માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 1,172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે,SMCની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યો છે.સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે,બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ બનાવતા હતા,તે દિશામાં પોલીસે તપાસ કરી છે.તો દારૂ બનાવવા માટે જે મટીરીયલ ઉપયોગમાં લેવાતું હતું તે પણ FSLમાં મોકલી આપ્યું છે.પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ ઘટનામાં 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહીં અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા,તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગામમાં એક નાનું તળાવ બનાવીને દેશી દારૂ તેમાં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે,અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.