ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રકે બાઈક સવાર પરિવારને અડફેટે લેતા માતા પુત્રના મોત

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,

New Update

ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને મારી ટક્કર

ટ્રકના ટાયર નીચે માતા બાળક કચડાયા 

અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા પુત્રનું મોત 

બાઈક ચાલક  સારવાર હેઠળ

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક પર સવાર માતા અને પુત્ર ટ્રકના ટાયર નીચે કચડાઈ જતા બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો હતો,અને બાઇકને ટક્કર મારી હતી. બાઈક પર દંપતી અને બાળક સવાર હતું. દુર્ઘટના એટલી ભયાવહ અને હૃદયની કંપારી છૂટે તેવી હતી કે ટ્રકના ટાયર નીચે માતા અને પુત્ર આવી જતાં કરુણ મોતને ભેટ્યા હતા.જ્યારે બાઈક સવારને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં ઇડર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક છોડી ઘટના સ્થળેથી પલાયન થઇ ગયો હતો.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.
Read the Next Article

સાબરકાંઠા : પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,મહિલા સહિત ત્રણના મોત

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતા

New Update
  • પ્રાંતિજમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • ખાનગી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

  • મુંબઈથી ઉદેપુર જતી બસને નડ્યો અકસ્માત

  • બસમાં સવાર ત્રણ મુસાફરોના કરૂણ મોત

  • 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ ખસેડાયા 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મુંબઈથી ઉદેપુર જતી ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલી ઘટનામાં એક માઈલ સહિત ત્રણ મુસાફરોના મોત નિપજ્યા હતાજ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીકથી મુંબઈ બોરીવલીથી ખાનગી બસમાં મુસાફરો રાજસ્થાનના ઉદેપુર જઈ રહ્યા હતા. તે દરમિયાન કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલી ટ્રકમાં ખાનગી બસ ધડાકાભેર ઘુસી ગઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી. 

સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર એક મહિલા સહિત ત્રણ મુસાફરોના કરૂણ મોત નીપજ્યું હતું.અડધો કલાકની જહેમત બાદ બસના પતરા કાપીને મૃતદેહ બહાર કઢાયા હતા.અને ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડાયા હતા.જ્યારે 7 ઘાયલ મુસાફરોને સારવારમાં અર્થે ખસેવામાં આવ્યા હતા.ઘટનામાં પ્રાંતિજ પોલીસ દ્વારા અકસ્માત અંગેનો ગુનો દર્જ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories