સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીર જુનાગઢ ખાતે યોજાશે, વાંચો વધુ...
જુનાગઢ ખાતે અનુસુચિત જાતિના કલાકારો માટેની સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.
BY Connect Gujarat13 Nov 2021 3:46 AM GMT
X
Connect Gujarat13 Nov 2021 3:46 AM GMT
જુનાગઢ ખાતે અનુસુચિત જાતિના કલાકારો માટેની સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજિત અનુસુચિત જાતિના કલાકારો માટેની સૌરાષ્ટ્ર ઝોન લોકનૃત્ય તાલીમ શિબીર જુનાગઢ ખાતે યોજાનાર છે. તો આ શિબીરમાં ભાગ લેવા અનુસુચિત જાતિના કલાકારો જેઓની વયમર્યાદા ૧૪થી ૩૫ વર્ષની રહેશે અને આ કલાકારોએ આ શિબીરમાં ભાગ લેવા માટે સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, નામ, સરનામું, મોબાઈલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી સાથેની અરજી તેમજ સરનામા અને જન્મ તારીખના પુરાવા સાથેની તમામ માહિતી તા. ૧૭/૧૧/૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જી-૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે પહોચતી કરવાની રહેશે.
Next Story