Connect Gujarat
ગુજરાત

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન
X

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. પ્રત્યેક માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના દર્શને આવતા મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ શ્રાવણ માસની માસિક શિવરાત્રીના અવસરે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા સામગ્રી અર્પણ કરી હતી.

તેમજ સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારીશ્રી દ્વારા ચંદન તિલક કરી ખેસ ઓઢાડીને તેમજ મહાદેવનો પ્રસાદ આપીને મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story