સુરેન્દ્રનગર:થાનમાં પરિણીતા સાથે કરેલ મૈત્રીકરારમાં પિતા પુત્રની હત્યા

થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

New Update
  • સુરેન્દ્રનગરન થનમાં પિતાપુત્રની હત્યા

  • પરિણીતા સાથેના મૈત્રીકરારમાં પિતાપુત્રએ જીવ ગુમાવ્યા

  • મહિલાના ભાઈ પતિ સહિતના હુમલાખોરોએ કરી હત્યા

  • ડબલ મર્ડરની ઘટનાથી પોલીસ તંત્ર થયું દોડતું

  • પોલીસે શરૂ કરી આરોપીઓની શોધખોળ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની હત્યાનિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વરમાધાર ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા ઘુઘા દાનાભાઈ કોળી, તેમના પત્ની અને પુત્ર ભાવેશ પર ત્રણ શખ્સોએ હથિયારો વડે હુમલો કરતા ભાવેશ અને ત્યારબાદ સારવાર દરમિયાન તેના પિતા ઘુઘાભાઈનું મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.જ્યારે ઇજાગ્રસ્તઘુઘાભાઈના પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતકયુવાન ભાવેશે થોડા સમય પહેલા સંગીતા નામની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેની સાથે રહેતો હતો.સંગીતાના લગ્ન દિનેશ નામના યુવક સાથે થયા હતા. સંગીતા અને ભાવેશ બંને મૈત્રીકરાર કરી સાથે રહેતા હોય દિનેશ સહિતના પરિવારજનો નારાજ હતા.જેનું મનદુઃખ રાખી દિનેશ સાપડા, જેસા નરસી અને સંગીતાનો ભાઈ દિનેશ સુખાભાઈએ સાથે મળી ભાવેશ, તેના પિતા અને માતા પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.જે હુમલામાં પિતા પુત્રના ગંભીર ઇજાને પગલે કરૂણ મોત નિપજ્યા હતા.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.