તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા

New Update
તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો

તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તાપીના સોનગઢ ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મજબૂત સંગઠનની રચના દ્વારા આવનાર ચૂંટણીઓને સર કરવાની આગેવાનોન હાકલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કરી હતી અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પણ વાતો કરી હતી.સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જિલ્લા સેવા સદન નજીક ભગવાન બિરસા મુંડા સર્કલની પ્રતિમાનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી એ જણાવ્યું હતુ કે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કામ કરી રહી છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે