Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 27 નવા કેસ નોંધાયા, 34 દર્દીઓ સાજા થયા, 308 એક્ટિવ કેસ

રાજ્યમાં આજે 27 નવા કેસ નોંધાયા, 34 દર્દીઓ સાજા થયા, 308 એક્ટિવ કેસ
X

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 34 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,954 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 5,08,726 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9, વડોદરા કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશન 4,સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, નવસારી 2,ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને રાજકોટમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 308 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 304 નાગરિકો સ્ટેબલ છે. 8,16,954 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story