Connect Gujarat
ગુજરાત

વડોદરા : સ્વચ્છતાના સંદેશ સાથે પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કિશોરીએ ખેડી સાઇકલ યાત્રા…

15 વર્ષીય સમીધા પટેલે તાજેતરમાં જ પોરબંદરના કિર્તી મંદિરથી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાઈકલ યાત્રા યોજી

X

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતી સમીધા પટેલે સ્વચ્છતાના સંદેશ સાથે પોરબંદરથી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાઈકલ યાત્રા યોજી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસ કર્યો છે.વડોદરાના હરણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સમીધા પટેલે તાજેતરમાં જ પોરબંદરના કિર્તી મંદિરથી નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાઈકલ યાત્રા યોજી હતી, ત્યારે 547 કિમી લાંબી સાઈકલ યાત્રા 6 દિવસમાં પૂર્ણ કરતાં સમીધા પટેલને સન્માનિત પણ કરવામાં આવી હતી.

આ અંગે સમીધા પટેલે જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે તેમાં સહભાગી થવાના ભાગરૂપે સ્વચ્છતાથી એકતા તરફના દ્રઢ સંકલ્પ સાથે પોરબંદરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાઈકલ યાત્રા ખેડી હતી. તાજેતરની સાઈકલ યાત્રામાં સમીધા પટેલે લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. સાથે જ ભવિષ્યમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલિંગ કરીને વિશ્વ વિક્રમ પ્રસ્થાપિત કરવા અંગે પણ સમીધા પટેલે જણાવ્યુ હતું.

Next Story