Connect Gujarat
ગુજરાત

વડોદરા: PMની અમૃત સરોવર યોજનાનો ટાર્ગેટ પુરો કરવા ઉતાવળ,જિ.પંચાયત 36 તળાવ ખોદશે

વડોદરા: PMની અમૃત સરોવર યોજનાનો ટાર્ગેટ પુરો કરવા ઉતાવળ,જિ.પંચાયત 36 તળાવ ખોદશે
X

વડાપ્રધાનની અમૃત સરોવર યોજનાના અમલ માટે રહીરહીને જિલ્લા પંચાયત દ્વારા ૩૬ તળાવોને મંજૂરી આપવામાં આવી છે.જેમાં નવા તળાવની કોઇ જોગવાઇ નથી.વડાપ્રધાને આઝાદીના અમૃત પર્વને અનુલક્ષીને દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનો ટાર્ગેટ આપ્યો છે.જે અંતર્ગત નવા તળાવો પણ બનાવી શકાય છે તેમજ જૂના તળાવોને પણ ઉંડા કરીને બ્યુટીફિકેશન કરી શકાય છે.

વડોદરા જિલ્લામાં ચોમાસા પહેલાં ૭૫ અમૃત સરોવરનો ટાર્ગેટ પુરો કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.જે હેઠળ જિલ્લા પંચાયતને ફાળે ૩૬ તળાવો આવ્યા છે.જે તળાવોને બે મહિનામાં ઉંડા કરવામાં આવશે. આજે જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિની મીટિંગમાં આ તળાવોને મંજૂરી આપવામાં આવી હતી.જો કે,વડોદરા જિલ્લા પંચાયતને ફાળે આવેલા ૩૬ તળાવોમાં એક પણ નવું તળાવ થવાનું નથી.જિલ્લા પંચાયત તમામ ૩૬ તળાવોને ઉંડા કરવાનું કામ કરશે.જે પેટે જાહેર સાહસ પાસેથી તળાવ દીઠ રૃ.બેલાખની મદદ મળવાની છે.આમ,બે લાખમાં તળાવનું કેટલું કામ થશે તે પણ એક સવાલ છે.

Next Story