વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.

New Update
  • ખેડૂતના ઉભા પાકને થયું નુકશાન

  • શેરડીનો પાકમાં લાગી આગ

  • ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે ખેડૂતને નુકસાન

  • ઇન્ટરનેટનો કેબલ વીજ કેબલ સાથે જોઈન્ટ થતા તણખા ઝર્યા

  • ખેડૂતે કરી ખાનગી કંપની સામે વળતરની કરી માંગ

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.રિપેરિંગ માટે આવેલી ટેક્નિકલ ટીમે વાયર ખેંચતા વીજ લાઈનના વાયર સાથે જોઈન્ટ થયો હતો.આ દરમિયાન તણખા ઝરતા નીચે આવેલા શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3.5 એકર જમીનમાં ઊભેલો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ ખેડૂત અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી.ખેડૂતે ખાનગી ટીમને શોધીને નુકશાનના વળતરની માંગણી કરી છે.

 

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.