વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.

New Update
  • ખેડૂતના ઉભા પાકને થયું નુકશાન

  • શેરડીનો પાકમાં લાગી આગ

  • ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે ખેડૂતને નુકસાન

  • ઇન્ટરનેટનો કેબલ વીજ કેબલ સાથે જોઈન્ટ થતા તણખા ઝર્યા

  • ખેડૂતે કરી ખાનગી કંપની સામે વળતરની કરી માંગ

Advertisment

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે.ખેડૂતોની મંજૂરી વગર વીજ પોલ પર નાખવામાં આવેલા ઈન્ટરનેટના કેબલના કારણે ઘટના બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.રિપેરિંગ માટે આવેલી ટેક્નિકલ ટીમે વાયર ખેંચતા વીજ લાઈનના વાયર સાથે જોઈન્ટ થયો હતો.આ દરમિયાન તણખા ઝરતા નીચે આવેલા શેરડીના ખેતરમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 3.5 એકર જમીનમાં ઊભેલો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ તરત જ ખેડૂત અને ફાયર ફાઈટરની ટીમને જાણ કરી હતી.ખેડૂતે ખાનગી ટીમને શોધીને નુકશાનના વળતરની માંગણી કરી છે.

 

Advertisment
Latest Stories
Read the Next Article

ભાવનગર-ધોલેરા હાઈવે પર 2 કાર વચ્ચેની ભયંકર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત…

2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોત, જ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, બન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા

New Update
  • ભાવનગર-ધોલેરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

  • 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં 4 લોકોના મોત

  • ગમખ્વાર અકસ્માતમાં બન્ને કારનો બૂકડો બોલી ગયો

  • પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ આદરી

  • છેલ્લા 13 દિવસમાં 9 લોકોને કાળ ભરખી ગયો

Advertisment

ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોતજ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા.

ગત તા. 12મે-2025ના રોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર 2 કાર અથડાતા અમદાવાદના 3 સગા ભાઈ અને એક બાળક સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજરોજ ભાવનગર-ધોલેરા હાઇવે પર વધુ એક અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. 2 કાર વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં 2 લોકોના ઘટના સ્થળ પર મોતજ્યારે 2 લોકોને સારવાર મળે તે પહેલા મોતને ભેટ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કેબન્ને વાહનો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હતાજ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેભાવનગર-ધોલેરા હાઇવે માર્ગ પર વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Advertisment
Latest Stories