વલસાડ : અટાર ગામે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીના કૂવામાંથી મળી આવતા ચકચાર..!

વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

અટાર ગામમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર

પોતાની વાડીના કૂવામાંથી જ મૃતદેહ મળી આવ્યો

બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળાં ભેગા થયા

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો

વૃદ્ધની હત્યા કેપછી આત્મહત્યા તે દિશામાં તપાસ

વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના અટાર ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ લક્ષુભાઈ બાવાભાઈ આહીર છેલ્લા 24 કલાકથી ગુમ હતા. જોકેવૃદ્ધ ગુમ હોય જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા શોધખોળ હાથ ધરાય હતી. જેમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાં રહેલા કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ રૂરલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતોત્યારબાદ સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવૃદ્ધની હત્યા કરવામાં આવી છે કેપછી વૃદ્ધે આત્મહત્યા કરી છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.