વલસાડ : અટાર ગામે શંકાસ્પદ હાલતમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીના કૂવામાંથી મળી આવતા ચકચાર..!

વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

અટાર ગામમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર

Advertisment

પોતાની વાડીના કૂવામાંથી જ મૃતદેહ મળી આવ્યો

બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળાં ભેગા થયા

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો

વૃદ્ધની હત્યા કેપછી આત્મહત્યા તે દિશામાં તપાસ

વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારવલસાડ જિલ્લાના અટાર ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ લક્ષુભાઈ બાવાભાઈ આહીર છેલ્લા 24 કલાકથી ગુમ હતા. જોકેવૃદ્ધ ગુમ હોય જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા શોધખોળ હાથ ધરાય હતી. જેમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાં રહેલા કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ રૂરલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતોત્યારબાદ સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવૃદ્ધની હત્યા કરવામાં આવી છે કેપછી વૃદ્ધે આત્મહત્યા કરી છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

“મિશન મિલાપ” : વલસાડ પોલીસને SKOCH એવોર્ડ મળ્યો, 1125 ગુમ થયેલા લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ...

વલસાડ પોલીસને દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં પ્રતિષ્ઠિત SKOCH નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતમાં "મિશન મિલાપ" અભિયાનની પહેલ કરનાર વલસાડ પ્રથમ જિલ્લો બન્યો

New Update
Mission Milap

વલસાડ જિલ્લા પોલીસે "મિશન મિલાપ" અભિયાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે. ગત ઓગષ્ટ 2023થી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત માત્ર 1 વર્ષ 10 મહિનામાં જ 1125 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. 

Advertisment

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને દેશભરમાં શોધખોળ અભિયાન ચલાવ્યું હતું. "મિશન મિલાપ" અભિયાન અંતર્ગત 399 અપહરણના કેસોમાં બાળકો સહિતના વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ 726 યુવક-યુવતીઓનેજેઓ ઘરેલુ વિવાદ કેઅન્ય કારણોસર ઘર છોડી ગયા હતા. તેમને પણ શોધીને પરિવાર સાથે જોડવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં આવેલી 5 GIDCમાં વિવિધ રાજ્યોમાંથી આવતા 4 લાખથી વધુ શ્રમિકોને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સફળ અભિયાનને કારણે વલસાડ પોલીસને દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં પ્રતિષ્ઠિત SKOCH National Awardથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતમાં "મિશન મિલાપ" અભિયાનની પહેલ કરનાર વલસાડ પ્રથમ જિલ્લો બન્યો છે.

Advertisment
Latest Stories