વલસાડ : જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર પહોંચ્યો,કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણીનો ઉગ્ર વિરોધ

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

New Update
  • વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ

  • જિલ્લા પ્રમુખની વરણી અંગે ભારે વિવાદ

  • જિલ્લા કોંગ્રેસના 22 હોદ્દેદારોની કમિટીએ કર્યો વિરોધ

  • કિશન પટેલ ભાજપનો સ્લીપર સેલ હોવાનો આક્ષેપ

  • કિશન પટેલને દૂર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત

  • સમગ્ર બાબતને હાઇકોર્ટ સુધી લઈ જવાની ચીમકી  

વલસાડ જિલ્લા કોંગ્રેસમાં જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને આંતરિક વિખવાદ સર્જાયો છે. કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની વરણી સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે.

વલસાડ ખાતે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 22 હોદ્દેદારોની કમિટીએ કિશન પટેલની જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકનો વિરોધ કર્યો હતો.કાર્યકરોનો આક્ષેપ છે કે સેન્સ પ્રક્રિયામાં કિશન પટેલનું નામ ન હોવા છતાં તેમની વરણી કરવામાં આવી છે. વિરોધ કરનારા નેતાઓએ કિશન પટેલ પર ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરવાનો આરોપ મૂક્યો છે.

જિલ્લા કોંગ્રેસ કમિટીએ પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને આ અંગે ફરિયાદ કરી છે. કમિટીએ ચેતવણી આપી છે કે જો કિશન પટેલને હટાવવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે. આ વિવાદને કારણે વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભાગલા પડવાની શક્યતા સર્જાઈ છે.

Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.