વલસાડ: સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત, ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરાય ચર્ચા

વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો.

New Update
  • વલસાડના સાંસદ ધવલ પટેલ પહોંચ્યા મુલાકાતે

  • વાપી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત

  • ટ્રાફિકના પ્રશ્નો બાબતે કરી મુલાકાત

  • રીક્ષાચાલકો સાથે કરી વાતચીત

  • ટ્રાફિકના પ્રશ્નોમુ નિરાકરણ લાવવા કરાશે પ્રયાસ

વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લઇ ટ્રાફિકના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરી હતી

વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિકની સમસ્યા મામલે સાંસદે મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. રેલ્વે સ્ટેશન બહાર પાર્કિંગના અભાવના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. રેલવે પરિસરમાં સીટી બસને પણ પાર્ક કરવા દેવામાં આવતી નથી ત્યારે રેલવે પરિસરમાંથી જ મુસાફરોને પીકઅપ અને ડ્રોપ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક રિક્ષાચાલકો સાથે સાંસદ ધવલ પટેલે વાતચીત કરી સમસ્યા અંગે માહિતી મેળવી હતી. રેલવે વિભાગમાં સંકલન કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા સાંસદ દ્વારા પ્રયાસ કરાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પ્રયાસ કરવાની સાંસદે તૈયારી બતાવી હતી

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.