“મિશન મિલાપ” : ઘરેથી ભાગી ગયેલા-અપહરણ થયેલા 400થી વધુ લાપતા લોકોનું પરિવાર સાથે મિલન કરાવતી વલસાડ પોલીસ

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા મિશન મિલાપ” અભિયાન હાથ ધરાયું

  • એસપી ડો. કરણરાજ વાઘેલાની આગેવાનીમાં સમગ્ર અભિયાન

  • ઘરેથી ભાગી ગયેલા-અપહરણ થયેલાઓની શોધખોળ કરાય

  • 400થી વધુ લાપતા લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું

  • પોલીસે નિભાવેલી સામાજિક જવાબદારીની ઠેર ઠેર પ્રસંસા થઈ

Advertisment

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 20 વર્ષથી ઘરેથી ભાગી ગયેલા અને અપહરણ થયેલા 400થી વધુ લાપતા લોકોને તેમના પરિવાર સાથે પોલીસે મિલન કરાવી સામાજિક જવાબદારી નિભાવી છે.

છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અપરણ અને બાળકો સહિત પુખ્ત વયના લોકો પણ ગુમ થવાની ઘટનાઓ વધી રહી હતી. પોલીસ ચોપડે આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં લાપતા થયેલાઘરેથી ગુમ થયેલા અને અપહરણ થયેલા લોકોને શોધવા માટે વિશેષ મિશન મિલાપ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસે 112 બાળકો જેમાં 76 સગીરાઓપુખ્ત વયની મહિલા અને પુરુષો મળી 400થી વધુ લોકોને શોધી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

વલસાડ જિલ્લા પોલીસના આ અનોખા અભિયાનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વલસાડ જિલ્લા પોલીસના આ અભિયાનને બિરદાવી અભીનંદન પાઠવ્યા હતા. તો વલસાડ જિલ્લા પોલીસે આ અભિયાન અંતર્ગત ગુમ લોકોને શોધવા ન માત્ર વલસાડ જિલ્લો કેગુજરાત રાજ્ય પરંતુ દેશના ખૂણે ખૂણેથી હ્યુમન ઈન્ટેલિજન્સ અને બાતમી સાથે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસના સહયોગથી આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આથી છેલ્લા 20 વર્ષમાં વલસાડ જિલ્લામાંથી ગુમ થયેલા અને ઘરેથી ભાગી ગયેલા મોટાભાગના કેસનો નિકાલ લાવી પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • કમલમ ગાર્ડન ખાતે શિબિર યોજાય

  • કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિર યોજાય

  • વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન

  • મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

Advertisment
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ વીરો અને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા   મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.
Advertisment