“મિશન મિલાપ” : ઘરેથી ભાગી ગયેલા-અપહરણ થયેલા 400થી વધુ લાપતા લોકોનું પરિવાર સાથે મિલન કરાવતી વલસાડ પોલીસ

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા મિશન મિલાપ” અભિયાન હાથ ધરાયું

  • એસપી ડો. કરણરાજ વાઘેલાની આગેવાનીમાં સમગ્ર અભિયાન

  • ઘરેથી ભાગી ગયેલા-અપહરણ થયેલાઓની શોધખોળ કરાય

  • 400થી વધુ લાપતા લોકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું

  • પોલીસે નિભાવેલી સામાજિક જવાબદારીની ઠેર ઠેર પ્રસંસા થઈ

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળતી પોલીસનો માનવીય ચહેરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 20 વર્ષથી ઘરેથી ભાગી ગયેલા અને અપહરણ થયેલા 400થી વધુ લાપતા લોકોને તેમના પરિવાર સાથે પોલીસે મિલન કરાવી સામાજિક જવાબદારી નિભાવી છે.

છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં અપરણ અને બાળકો સહિત પુખ્ત વયના લોકો પણ ગુમ થવાની ઘટનાઓ વધી રહી હતી. પોલીસ ચોપડે આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં છેલ્લા 20 વર્ષમાં લાપતા થયેલાઘરેથી ગુમ થયેલા અને અપહરણ થયેલા લોકોને શોધવા માટે વિશેષ મિશન મિલાપ અભિયાન શરૂ કર્યું હતું. જે અંતર્ગત અત્યાર સુધી વલસાડ જિલ્લા પોલીસે 112 બાળકો જેમાં 76 સગીરાઓપુખ્ત વયની મહિલા અને પુરુષો મળી 400થી વધુ લોકોને શોધી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

વલસાડ જિલ્લા પોલીસના આ અનોખા અભિયાનની ચોમેર પ્રશંસા થઈ રહી છે. ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વલસાડ જિલ્લા પોલીસના આ અભિયાનને બિરદાવી અભીનંદન પાઠવ્યા હતા. તો વલસાડ જિલ્લા પોલીસે આ અભિયાન અંતર્ગત ગુમ લોકોને શોધવા ન માત્ર વલસાડ જિલ્લો કેગુજરાત રાજ્ય પરંતુ દેશના ખૂણે ખૂણેથી હ્યુમન ઈન્ટેલિજન્સ અને બાતમી સાથે જે તે વિસ્તારની સ્થાનિક પોલીસના સહયોગથી આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આથી છેલ્લા 20 વર્ષમાં વલસાડ જિલ્લામાંથી ગુમ થયેલા અને ઘરેથી ભાગી ગયેલા મોટાભાગના કેસનો નિકાલ લાવી પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.