વલસાડ જિલ્લાના ઉમરગામ અપહરણ કેસમાં પોલીસ વિભાગની યશસ્વીય કામગીરી બદલ મળેલા ઇનામની ૫૦ ટકા રકમનો ચેક મુખ્યનમંત્રી રિલીફ ફંડ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.
અધિક પોલીસ મહા નિદેશક સુરત એસ.પી.રાજકુમારના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના ઉમરગામ અપહરણ કેસમાં કરવામાં આવેલી યશસ્વીા કામગીરી બદલ રાજ્યા સરકારે રેન્જાની ટીમને આપેલા રૂ. ૧૦ લાખના ઈનામની રાશિની ૫૦ ટકા રકમ રૂ. ૫.૧૦ લાખની રકમનો ચેક મુખ્ય મંત્રી રિલીફ ફંડ માટે રાજયકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને અધિક પોલીસ મહા નિદેશક એસ.પી.રાજકુમાર અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ અર્પણ કર્યો હતો. આ અવસરે સાંસદ ડો.કે.સી.પટેલ, ધારાસભ્યત કનુ દેસાઇ સહિત પોલીસ સ્ટા ફ ઉપસ્થિત રહ્યો હતો.