Connect Gujarat
Featured

ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
X

ભાવનગરના કોરોના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯૪ પોઝીટીવ રિપોર્ટ પૈકી ૭ દર્દીનુ અવસાન થયેલ છે અને ૮૦ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારના ૨૧ પોઝીટીવ રીપોર્ટ પૈકી ૧ દર્દીનુ અવસાન થયેલ છે. અને ૧૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ સામાન્ય લક્ષણૉ ધરાવતા અન્ય વ્યક્તિઓના ૭૨ રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૫ પોઝીટીવ કેસ થયેલ છે. જે પૈકી ૮ લોકોના મૃત્યુ થયેલ છે અને ૯૪ દર્દીના કોરોના સેમ્પલ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરેલ છે.

Next Story