Home > Featured > ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૧૫ થઈ જ્યારે ૯૪ દર્દીઓ બન્યા કોરોનામુક્ત
BY Connect Gujarat25 May 2020 4:43 PM GMT
X
Connect Gujarat25 May 2020 4:43 PM GMT
ભાવનગરના કોરોના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯૪ પોઝીટીવ રિપોર્ટ પૈકી ૭ દર્દીનુ અવસાન થયેલ છે અને ૮૦ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.
તેમજ ભાવનગર જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારના ૨૧ પોઝીટીવ રીપોર્ટ પૈકી ૧ દર્દીનુ અવસાન થયેલ છે. અને ૧૪ દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ સામાન્ય લક્ષણૉ ધરાવતા અન્ય વ્યક્તિઓના ૭૨ રીપોર્ટ નેગેટીવ આવેલ છે. જિલ્લામાં કુલ ૧૧૫ પોઝીટીવ કેસ થયેલ છે. જે પૈકી ૮ લોકોના મૃત્યુ થયેલ છે અને ૯૪ દર્દીના કોરોના સેમ્પલ નેગેટીવ આવતા તેમને ડિસ્ચાર્જ કરેલ છે.
Next Story