લખનઉમાં મકાનની છત ધરાશાયી થતાં એકજ પરિવારના 3 બાળકો સહિત 5 લોકોના મોત.....
દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.
BY Connect Gujarat Desk16 Sep 2023 6:46 AM GMT
X
Connect Gujarat Desk16 Sep 2023 6:46 AM GMT
લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરુણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોની મોત થઈ હતી. આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRFની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી, આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મકાન ખુબ જ જર્જરિત હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.
Next Story