Connect Gujarat
દેશ

લખનઉમાં મકાનની છત ધરાશાયી થતાં એકજ પરિવારના 3 બાળકો સહિત 5 લોકોના મોત.....

દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.

લખનઉમાં મકાનની છત ધરાશાયી થતાં એકજ પરિવારના 3 બાળકો સહિત 5 લોકોના મોત.....
X

લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક મકાનની છત ધરાશાયી થતા પાંચ લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટના આલમબાગની રેલવે કોલોનીમાં થઈ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રેલવે કોલોની સ્થિત ઘરની છત ધરાશાયી થતા એક જ પરિવારના 3 બાળકો સહિત 5ના મોત થયા છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કરુણ ઘટના બની છે જેમાં મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના પાંચ લોકોની મોત થઈ હતી. આ ઘટનાની જાણકારી પોલીસ તેમજ NDRFની ટીમને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળમાંથી દટાયેલા લોકોને કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી, આ ઘટના આલમબાગ રેલવે કોલોનીમાં થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મકાન ખુબ જ જર્જરિત હતું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાતે બની હોવાનું જાણવા મળ્યું છે.

Next Story