Connect Gujarat
દેશ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાનની ધરા ધણધણી ઉઠી

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ખુજદાર જિલ્લામાં ઓછામાં ઓછા 80 મકાનો ધરાશાયી થયા હતા

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાનની ધરા ધણધણી ઉઠી
X

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 5.2 ની તીવ્રતાના ભૂકંપમાં ખુજદાર જિલ્લામાં ઓછામાં ઓછા 80 મકાનો ધરાશાયી થયા હતા, જેના કારણે 200 થી વધુ પરિવારો બેઘર થઈ ગયા હતા, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઔરંજીની નજીક સ્થિત હતું અને શુક્રવારે સવારે 11.55 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનો આંચકો અડધી મિનિટ સુધી અનુભવાયો હતો, જેના કારણે લોકોને તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા મોટા આંચકા પછી, વિસ્તારમાં ટૂંકા અંતરે આફ્ટરશોક્સનો અનુભવ થતો રહ્યો. ખુજદારના ડેપ્યુટી કમિશનર, નિવૃત્ત મેજર ઇલ્યાસ કિબઝાઈએ ડૉનને જણાવ્યું હતું કે, "ભૂકંપથી ઔરંજીના વિશાળ વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાં 80 થી વધુ મકાનો પડી ગયા હતા, જ્યારે અન્ય 260 મકાનોમાં મોટી તિરાડો પડી હતી."

ભૂકંપથી વાધ તાલુકાના નલ, જમરી, બરંગ અને નાચકન સોનારો લાઠી ગામોને પણ નુકસાન થયું છે. 200થી વધુ પરિવારો ઘરવિહોણા થઈ ગયા હતા કારણ કે તેમના ઘરો નાશ પામ્યા હતા. ભૂકંપની માહિતી મેળવ્યા બાદ જણાવ્યું હતું કે તરત જ ભૂકંપ પ્રભાવિત લોકો માટે તંબુ, પલંગ સહિતની રાહત સામગ્રી, ચાદર, ખાદ્યપદાર્થો અને પીવાનું પાણી મોકલવામાં આવ્યું હતું.

Next Story