ગ્રેટર નોઈડામાં એક નિર્માણાધીન મકાનની દિવાલ વરસાદ બાદ ધરાશાયી થઈ હતી. તેમાં છ બાળકો દટાયા હતા. આ અકસ્માતમાં ત્રણ બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતક બાળકો તેમની શાળાની રજાઓ ગાળવા દાદીના ઘરે આવ્યા હતા. માહિતી મળતાં જ ભારે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલ ત્રણ બાળકોની સારવાર હજુ ચાલુ છે. પોલીસે મૃતક બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
આ ઘટના ગ્રેટર નોઈડાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડના ગામમાં બની હતી. આ કરૂણ અકસ્માતમાં આયેશા પુત્રી સગીર ઉમર 16 વર્ષ, અહદ પુત્ર મોઇનુદ્દીન ઉમર 4 વર્ષ, હુસૈન પુત્ર ઇકરામ ઉમર 5 વર્ષ, આદિલ પુત્ર શેરખાન ઉમર 8 વર્ષ, અલ્ફીઝા પુત્રી મોઇનુદ્દીન ઉંમર 2 વર્ષ, સોહના પુત્રી રહીસ ઉંમર 12 વર્ષ, વસીલ પુત્ર શેર ખાન ઉમર 11 વર્ષ, સમીર પુત્ર સગીર ઉમર 15 વર્ષ, સગીરના પોતાના પરિવારના 8 બાળકો અને સંબંધીઓ તેમના ઘરની દિવાલ ધરાશાયી થવાથી ઘાયલ થયા હતા જેમાં અહદ, આદિલ અને અલ્ફીઝાનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.