Connect Gujarat
દેશ

ઝાલાવાડ ઈન્દોર હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારમાં આગ લાગતાં 4ના મોત

ઝાલાવાડ જિલ્લામાં થયેલાં આ ભીષણ રોડ એક્સિડન્ટમાં ચાર લોકો જીવતાં બળી થઇ ગયા હતાં. અહીં બે કાર આમને સામને જોરથી ટક્કર થતાં બંને કારમાં જબરદસ્ત આગ લાગી ગઇ છે.

ઝાલાવાડ ઈન્દોર હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, કારમાં આગ લાગતાં 4ના મોત
X

ઝાલાવાડ જિલ્લામાં થયેલાં આ ભીષણ રોડ એક્સિડન્ટમાં ચાર લોકો જીવતાં બળી થઇ ગયા હતાં. અહીં બે કાર આમને સામને જોરથી ટક્કર થતાં બંને કારમાં જબરદસ્ત આગ લાગી ગઇ છે. આગને કારણે એક કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર તેમાં ફંસાઇ રહ્યાં અને જીવતા બળી ગયા હતા. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રૂપથી ઘાયલ છે. ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં તેમનું ઇલાજ ચાલુ છે. અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડ બોલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પણ ત્યાં સુધીમાં ચાર લોકોનાં જીવ જતાં રહ્યાં હતાં. બાદમાં પોલીસ અને પ્રશાસનનાં આલા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે ઝાલાવાડ-ઈન્દોર હાઈવે પર આ અકસ્માત થયો હતો. ઝાલાવાડ જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુવાંસ ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કાર અથડાતાની સાથે જ તે આગના ગોળામાં ફેરવાઈ ગઈ. માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કારમાં બે લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ બીજી કારમાં બેઠેલા એક જ વ્યક્તિને બહાર કાઢી શકાયા હતા. બાકીના ચાર આગમાં જીવતા બળી ગયા હતા.

Next Story