CDS જનરલ બિપિન રાવતના આજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે અંતિમ સંસ્કાર, દેશ આપી રહી છે શ્રદ્ધાંજલિ

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ જવાનોના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે

New Update

CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ જવાનોના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર જનરલ બિપિન રાવતના સલાહકાર બ્રિગેડિયર એલએસ લિડરના અંતિમ સંસ્કાર દિલ્હી કેન્ટમાં સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે કુન્નુર હેલિકોપ્ટરમાં માર્યા ગયેલા તમામ જવાનોના પાર્થિવ દેહ ગુરુવારે વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન સહિત અન્ય કેટલાક મહાનુભાવોએ દિલ્હી એરપોર્ટ પર આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. ખરાબ હવામાનને કારણે બુધવારે કુન્નૂરમાં CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 14માંથી 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે, જે હાલ લાઈફ સપોર્ટ પર છે. તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Read the Next Article

ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં થયું ક્રેશ, પાંચ લોકોના મોત

ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે.

New Update
kedar hel

ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશનનું હેલિકોપ્ટર ગૌરીકુંડ-સોનપ્રયાગના જંગલોમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, રવિવારે સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આમાં પાઇલટ સહિત 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહ્યું હતું.હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈને ગૌરીકુંડના જંગલોમાં પડી ગયું. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ખરાબ હવામાનને કારણે આ અકસ્માત થયો છે. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ગૌરીકુંડથી પણ બચાવ ટીમ મોકલવામાં આવી રહી છે. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે.