Connect Gujarat
દેશ

છત્તીસગઢ: સુકમામાં CRPF જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4ના મોત, 3 ઘાયલ

છત્તીસગઢ: સુકમામાં CRPF જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4ના મોત, 3 ઘાયલ
X

છત્તીસગઢના સુકમામાં CRPF 50 બટાલિયનના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન એક જવાન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં 4 જવાનો મોતને ભેટ્યા છે, જ્યારે અન્ય 3 જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ CRPF કેમ્પ મરઈગુડા પોલીસ મથક વિસ્તારમાં આવેલો છે.

CRPF કેમ્પનો જે જવાન, જેના પર તેના સાથીદારો પર ફાયરિંગ કરવાનો આરોપ છે, તે મોડી રાત્રે નક્સલવાદી વિસ્તારમાં ફરજ પર હતો. આ દરમિયાન જવાનો વચ્ચે થોડો વિવાદ થયો હતો જે હિંસામાં ફેરવાઈ ગયો. આ પછી CRPFના જવાને સાથી જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ જ ઘટનામાં CRPFના ચાર જવાન શહીદ થયા હતા. ઘટના બાદ સીઆરપીએફના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. જવાને તેના સાથીઓ પર શા માટે ફાયરિંગ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Next Story