New Update
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે નાગરિકોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
SOUL લીડરશીપ કોન્ક્લેવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે, ભવિષ્યના નેતાઓ બનાવવા માટે, તેમની સાથે કામ કરવું અને તેમને યોગ્ય દિશા આપવી મહત્વપૂર્ણ છે. PM મોદીએ કહ્યું કે, સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL)ની સ્થાપના એ વિકસિત ભારત તરફની સફર તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ખૂબ જ ટૂંક સમયમાં સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL)નું વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.
Latest Stories