Connect Gujarat
દેશ

જમ્મૂ કાશ્મીરમાં એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ

જમ્મૂ કાશ્મીરમાં એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
X

જમ્મૂમાં એક જ સિદ્રા વિસ્તારમાં એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ તંત્રમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે એક સાથે છ લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તમામ પાર્થિવ દેહને સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક સાથે પરિવારના છ લોકોના મોત કઈ રીતે થયા તેને લઈને પોલીસે હજુ સુધી કોઈ જ ખુલાસો કર્યો નથી, જેને લઈને સ્થાનિકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી અને ભય ફેલાઈ રહ્યો છે.

Next Story