દેશમાં આજે કોરોનાના 2503 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 27 દર્દીઓના થયા મોત
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે
BY Connect Gujarat14 March 2022 5:04 AM GMT
X
Connect Gujarat14 March 2022 5:04 AM GMT
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે દેશમાં 3116 કેસ નોંધાયા હતા અને 16 સંક્રમિતોના મોત થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2503 નવા કેસ નોંંધાયા છે અને 27 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4377 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.47 ટકા છે.
• એક્ટિવ કેસઃ 36,168
• કુલ ડિસ્ચાર્જઃ 4,24,41,449
• કુલ મૃત્યુઆંકઃ 5,15,877
• કુલ રસીકરણઃ 1,79,91,57,486
Next Story