/connect-gujarat/media/media_files/2025/01/30/tfVP95pyj3aHcoWL0baW.jpg)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ મેળામાં બુધવારે થયેલી નાસભાગ બાદ આજે મેળાની બહાર બનેલા ટેન્ટ સીટીમાં ભીષણ આગ લાગી હતી.ઝુંસી છતનાગ ઘાટના નાગેશ્વર ઘાટ સેક્ટર 22 પાસે આગ લાગી હતી. આ ભીષણ આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. જોકે, આગમાં અનેક ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા, પરંતુ કોઇ જાનહાનિ થઈ નથી.
ચીફ ફાયર ઓફિસર પ્રમોદ કુમાર શર્માએ મીડિયાને જણાવ્યું હતુ કે સેક્ટર 22માં આગ લાગવાની માહિતી મળી હતી.ઘટના સ્થળ પર ફાયર વિભાગના ટેન્ડરો પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.