PM મોદી આજે વારાણસીના બીજેપીના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે પીએમ મોદી મંગળવારે વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.
BY Connect Gujarat18 Jan 2022 3:59 AM GMT
X
Connect Gujarat18 Jan 2022 3:59 AM GMT
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે પીએમ મોદી મંગળવારે વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ખાસ વાત એ છે કે ભારતીય ચૂંટણી આયોગે કોરોના સંક્રમણના વધતા મામલાની વચ્ચે રેલી, રોડ શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓની સાથે પીએમનો આ કાર્યક્રમ વર્ચ્યૂઅલી આયોજિત થશે.
પાર્ટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અનુસાર કાર્યક્રમની શરુઆત 18 જાન્યુઆરીની સવારે 11 વાગે થશે. ચૂંટણી આયોગ તરફથી લાગેલા પ્રતિબંધ બાદ કાર્યકર્તાઓ સાથે પીએમ મોદીનો આ પહેલો સંવાદ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચર્ચા દરમિયાન પીએમ મોદી કાર્યકર્તાઓ પાસેથી પાર્ટી તરફથી લાગૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી આપવાના નિર્દેશ આપી શકે છે.
Next Story