Connect Gujarat
દેશ

PM મોદી આજે વારાણસીના બીજેપીના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે પીએમ મોદી મંગળવારે વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

PM મોદી આજે વારાણસીના બીજેપીના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ
X

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની વચ્ચે પીએમ મોદી મંગળવારે વારાણસીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. ખાસ વાત એ છે કે ભારતીય ચૂંટણી આયોગે કોરોના સંક્રમણના વધતા મામલાની વચ્ચે રેલી, રોડ શો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે પાર્ટી કાર્યકર્તાઓની સાથે પીએમનો આ કાર્યક્રમ વર્ચ્યૂઅલી આયોજિત થશે.

પાર્ટીના સત્તાવાર ટ્વીટર હેન્ડલ અનુસાર કાર્યક્રમની શરુઆત 18 જાન્યુઆરીની સવારે 11 વાગે થશે. ચૂંટણી આયોગ તરફથી લાગેલા પ્રતિબંધ બાદ કાર્યકર્તાઓ સાથે પીએમ મોદીનો આ પહેલો સંવાદ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચર્ચા દરમિયાન પીએમ મોદી કાર્યકર્તાઓ પાસેથી પાર્ટી તરફથી લાગૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી આપવાના નિર્દેશ આપી શકે છે.

Next Story