Connect Gujarat
દેશ

શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,CRPFનો એક જવાન શહીદ

સોમવારે શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો.

શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓએ કર્યો હુમલો,CRPFનો એક જવાન શહીદ
X

સોમવારે શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓના ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા છે. ઘાયલોને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એવી આશંકા છે કે આતંકવાદીઓ કોઈ ઘરમાં છુપાયેલા હોઈ શકે છે. આ પહેલા દિવસ દરમિયાન પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં બિહારના બે મજૂરો ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે સાંજે આતંકવાદીઓએ એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઘાયલ થયેલ નાગરિકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષાબળોએ આ વિસ્તારમાં નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

જાણકારી અનુસાર દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લા ચિત્રગામમાં સોમવારે સાંજે આતંકીઓએ સોનુ કુમાર બાલજી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બાલજીને ત્રણ ગોળીઓ વાગી હતી. ગંભીર હાલતમાં ઘાયલોને સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Next Story