Connect Gujarat
ગુજરાત

જામનગરમાં હત્યાનો સીલસીલો યથાવત, એક પખવાડિયામાં પાંચની હત્યા

જામનગરમાં હત્યાનો સીલસીલો યથાવત, એક પખવાડિયામાં પાંચની હત્યા
X

જામનગરમાં તહેવારો પર હત્યાનો સીલસીલો જાણે અટકવાનું નામ જ નથી લેતો. છેલ્લા એક પખવાડિયામાં તહેવારો માતમમાં ફેરવાઈ રહ્યા છે અને પોલીસ કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં અસમર્થ રહી હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં વૃદ્ધ મહિલાની હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

હત્યાની પ્રાપ્ત વિગત અનુસાર જામનગરના કાલાવડ નાકા બહાર ઠેબા ચોકડી રોડ પર ધનિસક રેસીડેન્સીમાં આવેલા પિતૃકૃપા નામના મકાનમાં રહેતા લક્ષ્મીબેન પટેલના મકાનમાં આવેલા ઇસમોએ મકાન માલિક ૬૫ વર્ષીય લક્ષ્મીબેનની હત્યા કરી લાશ બાજુના વાડી વિસ્તારમાં ફેંકી દીધી હોવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવા પામ્યો છે.

હત્યાની ઘટનાની જાણ થતાં જામનગર જીલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જોકે હાલમાંતો એફ.એસ.એલ અને ડોગ સ્કોડની મદદથી વૃધ્ધાના હત્યારાને શોધી કાઢવાના પ્રયત્નો પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

Next Story