Connect Gujarat
Featured

જુનાગઢ : માંગરોળના મધદરિયે બોટમાં લાગી ભીષણ આગ, માછીમારોનો થયો આબાદ બચાવ

જુનાગઢ : માંગરોળના મધદરિયે બોટમાં લાગી ભીષણ આગ, માછીમારોનો થયો આબાદ બચાવ
X

જુનાગઢ જિલ્લાના માંગરોળના દરિયામાં એક બોટમાં અચાનક આગ લાગી હતી, ત્યારે બોટમાં સવાર તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનામાં આખેયાખી બોટ બળીને ખાખ થઈ જતાં માછીમારને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, માંગરોળના મધદરિયે લક્ષ્મીપ્રસાદ નામની એક બોટમાં કોઈ કારણોસર અચાનક ભીષણ આગ લાગી હતી. જોકે આગ લાગતા જ બોટમાં સવાર 7 જેટલા માછીમારોને અન્ય બોટની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બોટ બળીને ખાખ થઈ ગઈ હતી. બોટમાં ક્યા કારણોસર આગ લાગી હતી. તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ ટરબો ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ તો બોટ બળીને ખાખ થઈ જતા માછીમારને રૂપિયા 50 લાખથી વધુનુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Next Story