જૂનાગઢના માણાવદરમા ચૂંટણીની અદાવતે ભાજપના કાર્યકરે કર્યો કોંગી કાર્યકર પર હુમલો
BY Connect Gujarat2 May 2019 8:21 AM GMT
X
Connect Gujarat2 May 2019 8:21 AM GMT
ચૂંટણી માં કોગ્રેસનું કામ કેમ કર્યું એમ કહી ભાજપના કાર્યકર ભરત ડાંગરે કર્યો કોંગી કાર્યકર પિયુષ પરસાણીયા પર હુમલો
હાલ ગુજરાત માં ચૂંટણીનો માહોલ સમાપ્ત થયો છે અને હવે પરિણામ ની રાહ જોવાઈ રહી છે. ત્યારે ચૂંટણી ના વેરઝેર મા જૂનાગઢના માણાવદર ધારાસભાની બેઠક લઇ કોંગી કાર્યકર્તા અને પાસના કાર્યકર્તા પર હુમલો કોંગી કાર્યકર પિયુષ પરસાણી ઉપર ભાજપનાં કાર્યકર્તા ભરત ડાંગર તૂટી પડ્યો હતો અને તે ચૂંટણી માં કોગ્રેસનું કામ કેમ કર્યું એમ કહી ભાજપના કાર્યકર ભરત ડાંગરે કર્યો કોંગી કાર્યકર પિયુષ પરસાણીયા પર હુમલો. આ બનાવ માણાવદર સિનેમાં ચોક ખાતે ભાજપનાં કાર્યલય નીચે બન્યો હતો.
આ બનાવ બાદ પિયુષ પરસાણીયાને માણાવદરની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા ત્યારે બનાવને લઈને કોગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી અને લોકોના ટોળેટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી રહી છે.
Next Story