મહારાષ્ટ્રમાં વધતો “કરાચી” વિવાદ, ફડણવીસે કહ્યું - ભારતનો ભાગ બનશે કરાચી

New Update
મહારાષ્ટ્રમાં વધતો “કરાચી” વિવાદ, ફડણવીસે કહ્યું - ભારતનો ભાગ બનશે કરાચી

મહારાષ્ટ્રમાં કરાચી સ્વીટ્સના નામે શરૂ થયેલા વિવાદ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન આવ્યું છે. ભાજપ નેતાએ કહ્યું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ બનશે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે સંયુક્ત ભારત વિશે નિવેદન આપ્યું છે, જે ચર્ચા જગાવી રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમે અખંડ ભારતને માનીએ છીએ, અમારું માનવું છે કે એક દિવસ કરાચી પણ ભારતનો ભાગ બની રહેશે. પૂર્વ મુખ્યમંત્રીના આ નિવેદન અંગે ઘણા રાજકીય પ્રતિસાદ મળી રહ્યા છે.

હકીકતમાં, મહારાષ્ટ્રમાં શિવસેનાના એક નેતાએ તાજેતરમાં મુંબઇમાં કરાચી સ્વીટ્સ વિશે એક નિવેદન આપ્યું હતું. શિવસેનાના નેતાએ કહ્યું હતું કે કરાચી સ્વીટ્સએ તેના નામમાંથી 'કરાચી' ને હટાવી દેવું જોઈએ, કારણ કે તે પાકિસ્તાનનું એક શહેર છે. આ પછી મહારાષ્ટ્રમાં આ નિવેદનની ચર્ચા થઈ રહી હતી અને હવે દેવેન્દ્ર ફડણવીસનું આ અંગે નિવેદન સામે આવ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસના આ નિવેદન પર, મહારાષ્ટ્ર સરકારમાં એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિકનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ જે રીતે નિવેદનો આપી રહ્યા છે તે પ્રમાણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેને ભારતમાં ઉમેરવું જોઈએ. જો ભાજપ ત્રણેય દેશોને જોડશે તો અમે તેનું સ્વાગત કરીશું.

જ્યારે શિવસેના નેતા સંજય રાઉતે પૂર્વ મુખ્યમંત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, જો કરાચી ભારતમાં આવે છે તો તેનું અમે સ્વાગત કરીએ છે પરંતુ પહેલ જે પાકિસ્તાનના કબ્જામાં કશ્મીર છે તે લાવો, પછી કરાચી સુધી પણ પહોંચી જઈશું.

જોકે, જે શિવસેના નેતાના બયાન બાદ વિવાદ શરૂ થયો હતો તેનાથી પાર્ટીએ પોતાને દૂર કરી લીધી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે કરાચી સ્વીટ્સ ઘણા દાયકાઓથી મુંબઈમાં છે, તેથી તેમના નામનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. જે નિવેદન આપવામાં આવ્યું છે તેને શિવસેનાનું સમર્થન નથી.

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories