Connect Gujarat
ગુજરાત

PM મોદીએ રક્ષાબંધન અને જન્માષ્ટમી શુભેચ્છાઓ પાઠવી કરી ''મન કી બાત''

PM મોદીએ રક્ષાબંધન અને જન્માષ્ટમી શુભેચ્છાઓ પાઠવી કરી મન કી બાત
X

પીએમ મોદીએ 'મન કી બાત'નાં ૪૭માં એપિસોડમા સરકાની વિવિધ ઉપલબ્ધિઓ ગણાવીને જણાવ્યું કે, સરકારે ઓબીસીને બંધારણિય દરજ્જો આપ્યો છે. એટલું જ નહી એસસી-એસટી એકટના સંશોધન બિલને પસાર કરવાને પણ સરકારની ઉપલબ્ધિ ગણાવી છે. આ સિવાય પીએમ મોદીએ દેશવાસીઓને રક્ષાબંધન અને જન્મષ્ટમીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="62671,62672,62673,62674,62675,62676"]

આ સાથે તેમણે અટલજીને યાદ કરતા જણાવ્યું કે, અટલજી એક એવા રાષ્ટ્રનેતા હતા જે 10 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા હતા, પરંતું 16 ઓગસ્ટ બાદ દેશ અને દુનિયાએ જોયું કે 10 વર્ષ સુધી રાજકારણથી દૂર રહ્યા બાદ પણ અમારા મનથી તેઓ દૂર નથી થયા.

  • રક્ષાબંધન અને જન્માષ્ટમી શુભેચ્છાઓ પાઠવી

પીએમ માદીએ જણાવ્યું કે. રક્ષાબંધન સામાજીક સૌમ્યતાનું પણ પ્રતિક છે. ભાઇ-ભહેન વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો અવસર છે. થોડા દિવસો બાદ જન્માષ્ટમી પણ આવશે. દેશનાં અનેક ભાગોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં દહીં હાંડીની તૈયારીઓ પણ યુવા વર્ગે શરૂ કરી દીધી હશે.

  • સંસ્કૃત દિવસની પણ સુભેચ્છા પાઠવી

તેમણે જણાવ્યું કે, સંસ્કૃત એક એવી ભાષા છે, જેનાથી બધા જ શબ્દોની રચના થઇ શકે છે. શ્રાવણની પૂર્ણિમાએ સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. ભારતની આ ધરોહરને સંભાળનારા લોકોને શુભકામનાઓ આપી હતી. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારત રત્ન વિશ્વેશ્વરૈયાનાં જન્મદિવસ 15 સપ્ટેમ્બરે ઇજનેર દિવસ મનાવવામાં આવશે.

  • કેરળના લોકો સાથે સમગ્ર દેશ ઊભો છે

પીએમ મોદીએ જણાવ્યું તે કેરળમાં પૂરને કારણે જનજીવન પર ખૂબ જ માઠી અસર પડી છે. અમારી સાહનુભુતિ કેરળના લોકોની સાથે છે, જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે. હું વિશ્વાસ આપું છે કે સમગ્ર દેશ તમારી સાથે ઊભો છે. મને ખાતરી છે કે રાજ્યના લોકોનાં જુસ્સા અને પ્રબળ સાહસના દમ પર રાજ્ય ફરીથી બેઠું થઇ જશે.

Next Story