Connect Gujarat
ગુજરાત

મોડાસા શહેરમાં ગુરુ મહંત શ્રી શ્રી 1008 તુલજારામજી મહંત ગુરુદેવનો આશીર્વચન સમારોહ યોજાયો

મોડાસા શહેરમાં ગુરુ મહંત શ્રી શ્રી 1008 તુલજારામજી મહંત ગુરુદેવનો આશીર્વચન સમારોહ યોજાયો
X

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શનિવારે રાત્રીના સુમારે ખેતેશ્વર બ્રહ્મધામ તીર્થ આસોત્રા(રાજસ્થાન)થી રાજપુરોહિત સમાજના ગુરુ મહંત શ્રી શ્રી 1008 તુલજારામજી મહંત ગુરુદેવનો આશીર્વચન સમારોહ યોજાયો હતો. જેમાં મોડાસાના ઉમિયા માતાના મંદિરથી મહંત શ્રીને દિવ્ય રથમાં બિરાજમાન કરી અને રાજસ્થાનના રાજપુરોહિત સમાજના લોકો ફૂલડેથી વધાવતા વધાવતા અને ડીજેના તાલે નાચતા ઝૂમતા અબાલ, વૃદ્ધ સૌકોઈ જોવા મળ્યા હતા આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી તથા ઉત્તર ગુજરાતના સમસ્ત રાજસ્થાની પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="97199,97200,97202,97203,97204"]

ખેતેશ્વર બ્રહ્મધામ તીર્થ આસોત્રા(રાજસ્થાન)થી રાજપુરોહિત સમાજના ગુરુ મહંત શ્રી શ્રી 1008 તુલજારામજી મહંત ગુરુદેવનો ગણપતિ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ દેવભૂમી સોસાયટીમાં ભગવાનદાસ રાજપુરોહિત ના ઘરે પધરામણી કરી હતી, જેમાં હજારોની સંખ્યામાં રાજપુરોહિતો ઉમટી પડ્યા હતા. આ રાજપુરોહિતોએ શ્રી શ્રી 1008 તુલજારામ મહંતનું ભજન સંધ્યા અને સત્સંગ તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો જ્યારે આ પધારેલ મહંતના ચરણોમાં પુષ્પાંજલિ કરતા કરતા વ્યાસપીઠ ઉપર લઈ જવામાં આવ્યા હતાં તો સમાજની દીકરીઓએ કળશ યાત્રા સાથે મહંતોને વધવામાં આવ્યા હતાં.

Next Story