દિપાવલી તથા નુતનવર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવતાં સાંસદ અહમદ પટેલ
રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના ખજાનચી અહમદ પટેલે દેશવાસીઓને દિપાવલી તેમજ નુતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
સાંસદ અહમદ પટેલે તેમના શુભેચ્છા સંદેશામાં જણાવ્યું છે કે, દિપાવલી પર્વ એ પ્રજા જીવનનું ઉત્સવ રૂપ, પ્રતિકાત્મક અને પ્રેરણાદાયી પર્વ છે. ચોતરફ દેશમાં રાગ-દ્રેષ, વેરઝેર અને અરાજકતા પ્રર્વતી રહી છે. આ ઉપરાંત પ્રર્વતમાન સમયમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારીના કારણે સર્વત્ર સામાજીક અને આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં શમી જાય અને લોકો સત્વરે સ્વસ્થ, તંદુરસ્ત અને ભયમુકત બની રહે તેવી કામના કરી છે.
વધુમાં અહમદભાઇ પટેલે પ્રકાશનું આ દિપાવલી પર્વ તમામના જીવનમાં દિવ્યજયોતિની ચેતના પ્રજવલ્લિત કરે અને આમ પ્રજાના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશારૂપી અંધકાર દુર થઇ જયા અને ઓજસ- તેજસથી સર્વનું આવનારૂ નુતનવર્ષ સંપન્ન બને તેવી આ તબકકે સહદય શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં સર્વને દિપાવલી અને નુતન વર્ષ પર્વની ખુબ ખુબ શુભકામનાઓ..