Connect Gujarat
ગુજરાત

રાજકોટ : નિવૃત એસટી કર્મચારીની તેના જ ઘરમાં ઘુસી કરપીણ હત્યા

રાજકોટ : નિવૃત એસટી કર્મચારીની તેના જ ઘરમાં ઘુસી કરપીણ હત્યા
X

રાજકોટમાં

બેફામ બનેલા ગુનેગારોએ પૌત્રીની નજર સામે જ દાદાની ચપ્પુનો ઘા મારી કરપીણ હત્યા

કરી નાંખી હતી. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી

પાડયાં છે.

રાજકોટના

ગોંડલ રોડ ઉપર આવેલ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા એસટીના નિવૃત કર્મચારી

કરશન મકવાણા નામના 65 વર્ષીય

વૃદ્ધની તેમના જ ઘરમાં ઘુસી હત્યા કરી નાંખવામાં આવી હતી. મૃતક કરશન મકવાણાના બે

પુત્રો હતાં જે પૈકી એક પુત્રની આઠ વર્ષ પહેલા હત્યા થઇ ગઇ હતી. મૃતક પુત્રની બે

દીકરીઓ દાદા કરશનભાઇ સાથે રહેતી હતી. જાન્યુઆરી મહિનામાં એક પૌત્રીનું અપહરણ થયું

હતું જેમાં આરોપી તરીકે ભગવતીપરાના જય પ્રકાશનગરમાં રહેતા સુરેશ ઉર્ફે વિસુ

મોહનભાઇ મુછડીયાનું નામ હતું .જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો

અને બાદમાં છૂટી જતા તેણે આ અંગે સમાધાન કરી લીધું હતું. કરશન મકવાણાએ કરેલી

ફરિયાદની રીસ રાખી સુરેશ અને તેના ત્રણ સાગરિતો આંબેડકરનગરમાં કરશન મકવાણાના ઘરે

પહોંચ્યાં હતાં. જયાં તેમને માર મારી સુરેશે ચપ્પુનો ઘા મારી દીધો હતો. દાદાને

બચાવવા પડેલી પૌત્રીને પણ આંગળીમાં ચપ્પુ વાગ્યું હતું. પૌત્રીની નજર સામે જ

દાદાની હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયાં હતાં. પોલીસે ગણતરીના કલાકોમાં સગીર સહિત

ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે.

Next Story