Connect Gujarat
Featured

અંકલેશ્વર : સાંસદ સ્વ. અહમદ પટેલની દફનવિધિની તૈયારીઓ, જુઓ કેવો હતો માહોલ

અંકલેશ્વર : સાંસદ સ્વ. અહમદ પટેલની દફનવિધિની તૈયારીઓ, જુઓ કેવો હતો માહોલ
X

રાજયસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ખજાનચી સ્વ. અહમદ પટેલની દફનવિધિની ઘડીઓ ગણાય રહી છે. સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાંથી અહમદ પટેલના નશ્વર દેહને શબવાહિનીમાં પિરામણ ગામ ખાતે રવાના કરવામાં આવ્યો છે. બીજી તરફ પિરામણ ગામના હેલીપેડ ખાતે જનાજાની નમાઝ અદા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તથા અન્ય દિગ્ગજ નેતાઓ સુરતથી મોટરમાર્ગે પિરામણ આવવા રવાના થઇ ગયાં છે.

બીજી તરફ પિરામણ ગામની વાત કરવામાં આવે તો સૌ કોઇના ચહેરા પર દુખની લાગણી જોવા મળી રહી છે. એકદમ મિલનસાર સ્વભાવ ધરાવતાં અહમદ પટેલની ખોટ સૌને સાલી રહી છે. અહમદ પટેલના નિધનથી આખું ગામ શોકમાં ગરકાવ છે.

પોતાની 40 વર્ષ કરતાં વધારેની રાજકીય કારર્કીદીમાં કોંગ્રેસને મજબુત કરવામાં તથા એક તાંતણે બાંધી રાખવામાં અહમદ પટેલની મહત્વની ભુમિકા રહી હતી. તેમને કોંગ્રેસના સંકંટમોચન ગણવામાં આવતાં હતાં. દરેક રાજકીય પક્ષોના આગેવાનોને તેમના માટે માન અને સન્માન હતું.

Next Story