Home > Featured > સાબરકાંઠા : વેરા બાકીદારો સામે પ્રાંતિજ નગરપાલિકાની લાલ આંખ, 13 દુકાનોને માર્યું સીલ
સાબરકાંઠા : વેરા બાકીદારો સામે પ્રાંતિજ નગરપાલિકાની લાલ આંખ, 13 દુકાનોને માર્યું સીલ
BY Connect Gujarat5 Feb 2021 11:10 AM GMT
X
Connect Gujarat5 Feb 2021 11:10 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વેરા બાકીદારો સામે નગરપાલિકાએ લાલ આંખ કરી છે. જેમાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા એપ્રોચ રોડ ઉપર આવેલ આવેલ વિવિધ કોમ્પલેક્ષમાં 13 જેટલી દુકાનોને સીલ મારાતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાંતિજ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી અનેક દુકાનોના વેરા ન ભર્યા હોય તેવા દુકાનદારો અને વેરા બાકીદારો સામે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તથા મુખ્ય અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. જેમાં એપ્રોચ રોડ ઉપર આવેલ નિર્માણ કોમ્પલેક્ષમાં 4 દુકાનો, યુનિક કોમ્પલેક્ષમાં 1 દુકાન અને શિવાલીકા પ્લાઝામાં 7 દુકાનો મળી કુલ 13 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના કર્મચારીઓ સીલીંગની કામગીરીમાં જોડાયા હતા. તો સાથે જ વેરા બાકીદાર દુકાનોને સીલ મારવામાં આવતા અન્ય વેરા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
Next Story