Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2023 : ભારતનો સુપર-4માં પ્રવેશ, નેપાળને 10 વિકેટે થી હરાવ્યું

એશિયા કપ 2023 : ભારતનો સુપર-4માં પ્રવેશ, નેપાળને 10 વિકેટે થી હરાવ્યું
X

એશિયા કપ 2023 માં ગઇકાલે ભારત અને નેપાળની ટીમ મેદાને ઉતરી હતી. પલ્લેકેલના મેદાનમાં ટીમ ઇન્ડિયા અને નેપાળની ટીમ વચ્ચે આ ખરાખરીનો ખેલ યોજાયો હતો. જેમાં રોહિત શર્માએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. તો નેપાળે પ્રથમ બેટિંગ કરી માત્ર 230 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાની બેટિંગમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. બાદમાં ટીમ ઇન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. સાથે જ સુપર 4મા જગ્યા પાક્કી કરી લીધી છે. હવે 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ખરાખરીનો ખેલ યોજાશે. વધુમાં ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે હંબનટોટામાં રમાશે.

231 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 2.1 ઓવરમાં વીનાવીકેટે 17 રન બનાવ્યા હતા.બાદમાં વરસાદને કારણે મેચ આટકી હતી. જેમા સમય બગડ્યા બાદ ડકવર્થ લુઈસ નિયમ મુજબ ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો.જેમાં ભારતીય ટીમે 20.1 ઓવરમાં વિના વિકેટે 147 રન બનાવીને જોરદાર જીત મેળવી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા. જ્યારે શુભમન ગિલ પણ 62 બોલમાં 67 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Next Story