Connect Gujarat
સ્પોર્ટ્સ

શું રોહિત-કોહલી વચ્ચે બધુ બરાબર.?, સાથે બેસીને કરવી પડશે વાત!!

દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ઈજાના કારણે રમી રહ્યો નથી અ

શું રોહિત-કોહલી વચ્ચે બધુ બરાબર.?, સાથે બેસીને કરવી પડશે વાત!!
X

દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા ઈજાના કારણે રમી રહ્યો નથી અને કેએલ રાહુલને કેપ્ટનશીપ આપવામાં આવી છે. 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે લોકો નવા વર્ષને આવકારવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરી. પરંતુ ખાસ વાત એ છે કે વિરાટ કોહલીને વનડેની કેપ્ટનશીપથી હટાવવાના નિર્ણય પર પણ સવાલો ઉઠ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના વિવાદને લઈને સવાલ ઉઠ્યો હતો કે શું હવે સમય આવી ગયો છે જ્યારે બંનેએ સામસામે બેસીને વાત કરવી જોઈએ. આ અંગે ચેતન શર્માએ કહ્યું કે બંને વચ્ચે બધુ બરાબર છે જ્યારે અમે તેમની સાથે વાત કરીએ છીએ ત્યારે ખૂબ જ મજા આવે છે. માત્ર અટકળો પર ન જાવ બંને વચ્ચે શાનદાર પ્લાનિંગ છે ચેતન શર્માએ કહ્યું કે બંને ખેલાડીઓ એક પરિવારની જેમ વાત કરી રહ્યા છે. 2021માં વિવાદો છોડો 2022માં જ ટીમને શ્રેષ્ઠ બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. બંને ખેલાડીઓ પસંદગી સમિતિ સાથે ખુલીને વાત કરે છે.

Next Story