સુરત : બારડોલીના ધામદોડલુમભા ગામે નદીમાં નાખેલી માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાયો
BY Connect Gujarat25 Jun 2020 6:49 AM GMT
X
Connect Gujarat25 Jun 2020 6:49 AM GMT
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામદોડલુમભા ગામ નજીકથી પસાર થતી મીઢોળા નદીમાંથી માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના ધામદોડલુમભા ગામ નજીકથી પસાર થતી મીઢોળા નદીમાં માછીમારો દ્વારા માછલી પકડવા માટે જાળ મુકવામાં આવી હતી, ત્યારે માછીમારોએ જાળ બહાર કાઢતા જાળમાં એક મહાકાય અજગર ફસાઇ ગયો હતો. સમગ્ર મામલે માછીમારોએ જીવદયા પ્રેમીઓને જાણ કરી હતી, ત્યારે તાત્કાલિક ધામદોડલુમભા ગામે પહોચી જઈ મહાકાય અજગરને સહી સલામત જાળમાંથી બહાર કાઢ્યો હતો. અજગરની લંબાઈ 8 ફૂટ અને વજન 12 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત બનાવ આંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ટીમે અજગરની પ્રાથમિક તપાસ કરાવી સલામત સ્થળે મુક્ત કર્યો હતો.
Next Story