સુરત : માંગરોળના દિનોદ ગામે દીપડી પાંજરે પુરાઈ, હજી પણ 2થી વધુ દીપડાઓના આંટાફેરા
BY Connect Gujarat4 Feb 2020 2:50 PM GMT
X
Connect Gujarat4 Feb 2020 2:50 PM GMT
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના
દિનોદ ગામની સીમમાં કટવા રોડ નજીક આવેલા જાનવી ફાર્મમાંથી એક દીપડી પાંજરે પુરાઈ હતી.
માંગરોળ તાલુકાના દિનોદ ગામના કટવા રોડ નજીક આવેલા જાનવી ફાર્મમાંથી એક દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાંશકારો
અનુભવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી માંગરોળના દિનોદ ગામની સીમમાં 2થી 3 દીપડાઓ આંટાફેરા મારી રહ્યા છે. જે વાતને ધ્યાનમાં
રાખી માંગરોળ વન વિભાગ દ્વારા દિનોદ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં 5થી 6 જેટલા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા, ત્યારે દિનોદ ગામમાં મુકેલ
પાંજરામાં મારણની લાલચે આવી ચઢેલ આશરે દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. દીપડી પાંજરે પુરાયાની જાણ માંગરોળ વન
વિભાગને થતા વન વિભાગ ટીમ તાત્કાલિક દિનોદ ગામે દોડી આવી હતી, ત્યારે હાલ તો દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો.
Next Story